આલુ મેથી ની રેસીપી આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
કઢાઇ પનીર આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને ....
કોથમીરની રોટી સામાન્ય રીતે કોથમીર જ્યારે કોઇ વાનગીમાં ઉમેરવામાં આવે ત્યારે તે વાનગીની યોગ્યતામાં વધારો કરે છે. જ્યારે અહીં વપરાયેલા મસાલા કરતા વધુ તેની મધુર ખુશ્બુ આ કોથમીર રોટીને સુવાસિત બનાવે છે. આ રોટી બનાવવામાં પણ બહુ સરળ છે અને તેમાં વપરાતા મસાલા આપણા રસોડામાં હાથવગા મળી રહે એવા છે એટલે તે ગમે ત્યારે બનાવી શ ....
ઘટ્ટાની કઢી ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે. આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજે ....
ટમેટા અને મેથીવાળા ભાત લોહથી ભરપૂર મેથી અને વિટામીન-સી સમૃદ્ધ ટમેટા લોહના શોષણમાં મદદ કરે છે. ફાઈબરની માત્રા વધારવા માટે, પોલિશ્ડ સફેદ ભાતની બદલીમાં અનપોલિશ્ડ બ્રાઉન ભાતનો પ્રયોગ કરવો, જે વજન પર નજર રાખનાર, મધુમેહ અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર માટે ફાયદાકારક ગણાય છે.
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
તવા ચણા જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
પંચમેળ ખીચડી આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
પંચમેળ દાળ આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
પનીર પકોડા જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા. પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો ....
પાલક અને મેથીના મુઠીયા લિજ્જત, પૌષ્ટિક્તા અને દેખાવમાં પાલક અને મેથીના મુઠીયા મેદાન મારી જાય છે. પાલક અને મેથીની સોડમ એકબીજાનું સંતુલન કરી આ બાફેલા મુઠીયાને સ્વાદિષ્ટ બનાવે છે અને જે રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત બને છે. પાલક અને મેથીના મુઠીયા જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્ ....
બ્રેડ કોફ્તા બિરયાની તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
મુઘલાઇ આલુ મુઘલાઇ આલુ એક અતિ પ્રખ્યાત વાનગી છે, જેમાં તળેલા અથવા મૅરીનેટ કરેલા નાના બટેટાને તીખી મલાઇદાર ગ્રેવીમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મુઘલાઇ ડીશ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે અને તે આ વાનગી માટે પણ એટલું જ સાચું છે. લગભગ દરેક મુઘલાઇ વાનગીની જેમ, અહી પણ કાંદા, ખસ-ખસ અને ફ્રેશ ક્રીમ વિશિષ્ટ મહત્વ ....
મેથી પાપડ અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. મેથીના દાણામાં રહેલા ઉત્તમ ઔષધીય ગુણધર્મોનો ફાયદા તો છે જ, પણ તે ઉપરાંત વધુમાં તેમાં સારા પ્રમાણમાં લોહતત્વ છે અને તે સાથે તે શરીરને શીતળતા પણ આપે છે. સામાન્ય રીતે આપણે કોઇપણ વાનગીમાં મેથીના એક-બે ચમચી જેટલા જ દાણા ....